ભીતરથી ઊઠે એનો ક્યાં જઈ થઈ શકે ઇલાજ ?
દીપકનો દાહ હોય તો ઝટ જાવ વડનગર.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રોબર્ટ આર્કેમબિઉ

રોબર્ટ આર્કેમબિઉ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શબદ – રોબર્ટ આર્કેમબિઉ અનુ.- મહેશ દવે

ફક્ત એની બાંયો પર જ પહેરી રાખે છે
સચ્ચાઈને આ નવી કવિતા .
[ જલ્દી ખંખેરી નખાય કે બદલી શકાય ને ? ]

એ લખનારો કોઈ માડીનો જાયો
એના એકેય શબદમાં માનતો નથી.
જરા વિચાર તો કરો. એમાંનો એકેય શબદ એણે લખ્યો જ નથી.

એ શબ્દ ક્યાંકની ઉઠાંતરી છે, કે ક્યાંકની કાપેલી કાપલી છે.
કે ક્યાંકથી ચોંટાડેલી ચબરખી છે,
ક્રિયા-પ્રક્રિયામાંથી
પસાર કરેલી સામગ્રી છે,મશીનમાં ઠોકઠાક કરી
ઠીકઠાક કરેલો છે, નવા હેતુ માટે યોજ્યો છે, ઊલ્ટી
કરી ફરી બહાર કાઢ્યો છે કે મુક્ત રીતે વિહરતા
ભાષાના સમૂહમાંથી ફરી ઘડ્યો છે-ત્યાં
ઊભો છે એ એને કવિતામાં કંડારવાની ભીખ માગતો.

– રોબર્ટ આર્કેમબિઉ અનુ.- મહેશ દવે

ઉમાશંકર જોષીએ કહ્યું હતું – ” જે સત્યજ્ન્ય અધિકારથી બાપુ [ ગાંધીજી ] એમ કહી શકે છે કે ‘ મારું જીવન એ જ મારો સંદેશ ‘ એ રીતે આત્મા પર હાથ રાખીને હું એમ જયારે કહી શકીશ કે ‘ મારું જીવન એ જ મારું કવન અને મારું કવન એ જ મારું જીવન ‘ ત્યારે હું સાચો કવિ. ”

ઉઠાંતરીની જે વાત છે તે કેવળ શબ્દો કે શૈલીની ઉઠાંતરીની વાત નથી. એવા અસંખ્ય ઉદાહરણો મળે કે જ્યાં વ્યક્તિનું સર્જન અને વ્યક્તિ પોતે એટલાં બધા ભિન્ન હોય કે ત્યારે એમ ચોક્કસ લાગે કે સર્જનમાંના શબ્દો આ consciousness માંથી તો બહાર કદાપિ ન જ આવ્યા હોઈ શકે. કાવ્ય લખવું એ એક વાત છે અને કાવ્ય પ્રકટવું- કાવ્ય સર્જાવું – કાવ્ય અંદરથી બહાર આવવું એ તદ્દન ભિન્ન વાત છે…..

Comments (4)