પાંપણો પર બોજ વધતો જાય છે,
સ્વપ્નનો ઉપચાર કરવો જોઈએ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લાલજી કાનપરિયા

લાલજી કાનપરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ભીતર જલતી જ્યોત – લાલજી કાનપરિયા

ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત
બહાર રઝળી ભટકી શાને વેળ અમૂલખ ખોત ?

તિલક કરતાં ત્રિભુવન મળશે, કીધી કોણે વાત ?
પરથમ ઊતરીને તું અંદર ઓળખ તારી જાત.
આડંબરને આઘા મેલી ચીજ અસલ તું ગોત
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

અડસઠ તીરથ કરીને આવ્યો પાછો નિજને ઘેર
નકલી વાઘા ગયા ઊતરી, રહ્યો ઠેરનો ઠેર !
મેલ બધાં જુઠ્ઠાણાં હવે આ ખેલ થયો બહોત
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

પ્રેમરસનું પાન કરીને અલખ લિયે તું જાણી
જળકમળવત્ રહીને જગમાં મનખો લે તું માણી.
અમથી અમથી મૃગજળ પાછળ શાને મૂકે દોટ ?
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

– લાલજી કાનપરિયા

નરસિંહ હોય કે અખો હોય કે પછી લાલજી – સહુને અંદર અને અંતરના અજવાળાંએ જ આકર્ષ્યા છે…

Comments (6)