અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગાલવે કિન્નલ

ગાલવે કિન્નલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ભળભાંખળું – ગાલવે કિન્નલ (અનુ.: વિવેક મનહર ટેલર)

ભરતીના કારણે થયેલા કીચડ પર, ઠીક સૂર્યાસ્તથી પહેલાં,
ડઝનબંધ તારામાછલીઓ
સરકી રહી હતી. જાણે કે
કાદવ આકાશ હતો,
અને પુષ્કળ, અપૂર્ણ તારાઓ
એમાં ધીરે-ધીરે ખસી રહ્યા હતા,
જે રીતે સાચુકલા તારાઓ સ્વર્ગને પાર ન કરતા હોય.
અચાનક તેઓ બધી જ અટકી ગઈ,
અને, જાણે કે તેઓએ
ગુરુત્વાકર્ષણ પ્રતિ પોતાની ગ્રહણશીલતા
વધારી ન દીધી હોય, એમ
કાદવમાં ખૂંપતી ગઈ, આછી થતી ગઈ
અને સ્થિર થઈ ગઈ, અને જ્યારે
સૂર્યાસ્તની લાલિમા એમના પર પથરાઈ વળી,
તેઓ એ રીતે અદૃશ્ય થઈ ગઈ
જે રીતે ભળભાંખળા ટાણે ખરેખરા તારાઓ.

– ગાલવે કિન્નલ
(અન્નુ. વિવેક મનહર ટેલર)

દિવસ અને રાતના સંધિકાળનું એક મજાનું ચિત્ર કવિ રજૂ કરે છે. ભરતીના કારણે દરિયાકિનારે તણાઈ આવેલી સેંકડો તારામાછલીઓ કાંઠા પરના કીચડમાં સરકી રહી હોય એ દૃશ્યને કવિ રાતના આકાશમાં ધીમેધીમે ગતિ કરતા અસંખ્ય તારાઓ સાથે સરખાવે છે. સાંજના રંગ વધુ ગાઢ બનતાં જ આ તારામાછલીઓ જાણે ગુરુત્વાકર્ષ પ્રત્યેની ગ્રહણશીલતા અચાનક વધી ન ગઈ હોય એમ કાદવની અંદર ગરકાવ થઈ સ્થિર થઈ જાય છે. સૂર્યાસ્તની આખરી લાલિમા એમના પર પથરાય છે ત્યારે એ તમામ નજરોથી એ રીતે ઓઝલ થઈ જાય છે, જે રીતે ભળભાંખરાં સમયે તારાઓ. કવિતામાં એક દૃશ્યચિત્રના સહારે એક રુપકચિત્ર સિવાય આમ કશું નથી, પણ ચિત્ર એવું તો સુવાંગ સંપૂર્ણ થયું છે કે કવિતા વાંચી લીધા પછી ક્યાંય સુધી બંને ચિત્રો નજર સામેથી દૂર થતાં જ નથી… દરિયાકિનારે ઊભા રહીને આ દૃશ્ય આપણે પ્રત્યક્ષ જોયું હોવાની અનુભૂતિ જ કવિતાનો ચરિતાર્થ છે.

DAYBREAK

On the tidal mud, just before sunset,
dozens of starfishes
were creeping. It was
as though the mud were a sky
and enormous, imperfect stars
moved across it as slowly
as the actual stars cross heaven.
All at once they stopped,
and, as if they had simply
increased their receptivity
to gravity, they sank down
into the mud, faded down
into it and lay still, and by the time
pink of sunset broke across them
they were as invisible
as the true stars at daybreak.

– Galway Kinnell

Comments (7)

આખરી દેવતાઓ – ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)

એ એક પથ્થર પર નિર્વસ્ત્ર બેઠી છે
પાણીમાં કેટલેક અંદર. એ કિનારા પર ઊભો છે,
નિર્વસ્ત્ર જ, બ્લુબેરીઝ ચૂંટતો.
પેલી બોલાવે છે. આ ફરે છે. પેલી ખોલે છે
એના પગ પોતાનું મહાન સૌંદર્ય આને બતાવતા,
અને સ્મિત વેરે છે, હોઠોની એક કમાન
જાણે સાથે બાંધી ન રાખતી હોય
ધરતીના છેડાઓને.
તેણીના પ્રતિબિંબને ટુકડાઓમાં
છબછબાવતો, એ તેની સામે
આવીને ઊભો રહે છે,
ઘૂંટી સમાણા લીલ-પાંદડાઓ
અને તળિયાના કીચડને ફેંદતો – આત્મીયતા
દૃશ્યમાન જગતની. એ મૂકે છે
ધુમ્મસના ખમીસવાળી એક
બેરી તેણીના મોઢામાં.
પેલી ગળી જાય છે. એ બીજી એક મૂકે છે.
પેલી ગળી જાય છે. તળાવ ઉપર
બે અબાબિલ ચકરાવા લે છે, મસ્તી કરે છે, દિશા બદલે છે
અને જ્યારે એક ચીલઝડપે ઝપટી લે છે
એક જીવડું, એ બંને ગોળગોળ ફરે છે
અને આનંદિત થાય છે. એ ઉત્તેજિત અને કડક થયો છે
દૈવત્વથી નહીં પણ પુરુષત્વથી-
ને મુખમૈથુનથી તો વધારે.
પુરુષ ઘૂંટણિયે નમે છે, ખોલે છે
ગાઢ, ઊભું સ્મિત
સ્વર્ગ અને પાતાળને જોડતું
અને ચાટે છે એના સુંવાળતમ માંસને વધુ સુંવાળપથી.
પથ્થરની ઉપર એ બંને જોડાય છે.
ક્યાંક એક દેડકો બોલે છે, કાગડો કરાંજે છે.
એમના શરીર પરના વાળ
ચોંકી ઊઠે છે. તેઓ આક્રંદે છે
આખરી દેવતાઓની જુબાનમાં,
જેઓએ જવાની ના કહીને,
મૃત્યુ પસંદ કર્યું હતું, અને રોમાંચિત થઈ ઊઠ્યા હતા
આનંદમાં અને વિખેરાઈ ગયા હતા ટુકડાઓમાં,
મૂકી ગયા હતા એમનું આક્રંદ
મનુષ્યના મુખમાં. હવે તળાવમાં
બે ચહેરા તરી રહ્યા છે, ઉપર જોતા એક માતૃતુલ્ય દેવદારને જેની ડાળીઓ
બધી જ દિશાઓમાં ખુલે છે
બધું જ સમજાવી દેતી.

– ગાલવે કિન્નલ
(અનુ. વિવેક મનહર ટેલર)

વસ્ત્રો એ સંસ્કૃતિના નામે મનુષ્યે ઊભી કરેલી સૌથી મોટી દીવાલ છે. વસ્ત્રો નહોતાં ત્યારે મનુષ્યને એકમેકમાં ઓગળી જવાનું હાથવગું હતું. આજે તો સેક્સ સાધ્ય બનવાને બદલે સાધન બની ગયું છે. ‘આખરી દેવતાઓ’ નિર્વસનતાનું, પારદર્શિતાનું ગાન છે. ગ્રીક પુરાણકથાઓ અનુસાર કેટલાક દેવતાઓ અમરત્વ અને સ્વર્ગલોકના સ્થાને નાશવંત શરીર અને પૃથ્વીલોક સ્વીકાર્યાં હતાં અને મનુષ્ય સંવેદનાસભર જીવનના આનંદ-આક્રંદ સાથે એમણે મૃત્યુ આવકાર્યું હતું. સમ્-ભોગની ક્ષણે મનુષ્ય દેવતાઓની સમકક્ષ હોય છે.

કાવ્યનાયિકા ઘૂંટીસમાણા પાણીમાં કેટલેક અંદર એક પથરા પર નિર્વસ્ત્ર બેઠી છે. અને આ નિર્વસ્ત્ર સૌંદર્યથી નિર્લેપ કાવ્યનાયક પણ નિર્વસ્ત્ર કિનારા પર ઊગેલી બ્લુબેરીઝ ચૂંટી રહ્યો છે. પોતાના પગ પહોળા કરીને નાયિકા યોનિપ્રદેશનું સૌંદર્ય છતું કરે છે અને વેલકમ સ્માઇલ વેરે છે. આવકારનું સ્મિત હંમેશા સૃષ્ટિના બંને અંતિમોને સાંકળી લે એવું પહોળું જ હોવાનું. નાયક ઘૂંટણિયે નમે છે. નાયિકાને માન આપે છે અને પછી સ્વર્ગ-પાતાળ વચ્ચે સેતુ સર્જતા, અસ્તિત્વના ઊભા સ્મિત સમા યોનિમાર્ગને મંદિરના દ્વાર પેઠે ખોલે છે. બંનેના દૈવી મિલનમાં પ્રકૃતિ પણ સંમિલિત થાય છે. સંભોગ પછીની સમાધિસ્થ અવસ્થામાં બંનેના ચહેરાઓ પર ઝળુંબી રહ્યું છે બધી જ દિશાઓમાં ડાળી ફેલાવતું માતુલ્ય દેવદારનું વૃક્ષ. પ્રેમ જ મનુષ્યના અસ્તિત્વનો ચરમ આવિર્ભાવ છે એમ બધું જ સમજાવી દેતી આંતર્દૃષ્ટિ ચરમસ્થિતિએ જ ખુલે-ખીલે છે.

Comments (5)