બાકી ન આવવાનું હવે કોઈ પણ અહીં,
બોલે છે કેમ તો ય હજી કાગડાને પૂછ
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શ્યામ ઠાકોર

શ્યામ ઠાકોર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – શ્યામ ઠાકોર

સોગન કાયમ જળના ખાતો,
જળથી તારે શું છે નાતો ?

પાષાણો છે એ શું બોલે ?
જળને પૂછો જળની વાતો.

જળને આ શું થઈ ગ્યું પાછું ?
કાં છે જળનો ચ્હેરો રાતો ?

જળને ડ્હોળી નાંખ્યું કોણે ?
કોણે મારી જળને લાતો ?

જળ તો ભોળું, જળ શું જાણે;
જળને માથે જળની ઘાતો.

– શ્યામ ઠાકોર

મજાની મુસલસલ ગઝલ. કલમ લઈને દોરેલું પાણીનું પાણીદાર ચિત્ર.

Comments (4)