ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નજર કાણીસવી

નજર કાણીસવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સમર્પણ – ‘નજર’ કાણીસવી

(શિખરિણી)

નવાં વર્ષે પાછાં શરદઋતુના શીત સ્પરશે
વનોમાં કુંજોમાં તરુવર બધાં પાનખરને
વધાવે ઉલ્લાસે કુદરતે ક્રમે વસ્ત્ર બદલી.
અને મૃત્યુમાંયે દધીચિઋષિ શાં સૌમ્ય સ્વરૂપે
પીળાં-રાતાં પર્ણો અગન-ભભક્યા રંગ ધરીને
સજાવે સૃષ્ટિને મનવિલસતાં ચિત્રફલકે.

પ્રભો ! માંગું એવું, મુજ જીવનની અંતઘડીઓ
હજો એવી રીતે અવર જનના શ્રેય કરતી.

– ‘નજર’ કાણીસવી

કવિના નામ સાથે આ રચના એ મારો પહેલો પરિચય. પણ કવિતા વાંચતા જ એમનું તખલ્લુસ ‘નજર’ સ્પર્શી ગયું. કેવી વેધક નજર ! શિયાળે પાનખર આવે અને વૃક્ષો રંગ-રૂપ બદલે અને તમામ પાંદડાંનો ત્યાગ કરે એ નાની-શી ઘટના – જે અમેરિકા જાવ તો વધુ સારી રીતે અનુભવી શકાય – એ ઘટનાને કવિ સાવ અલગ જ નજરથી જુએ છે અને કેવી સ-રસ રીતે આખરી ઓપ આપી રચનાને સુંદર કવિતાના સ્તરે લઈ જાય છે !

Comments (6)