ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !
– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જુગતરામ દવે

જુગતરામ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બાપુ અમર રહો ! – જુગતરામ દવે

એનું જીવનકાર્ય અખંડ તપો
.                    અમ વચ્ચે બાપુ અમર રહો !
એના જીવનમંત્ર સમો ચરખો
.                    પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !
અમ જીવનમાં અમ અંતરમાં
.                    એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !
અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
.                    એની પાવક આતમજ્વાળ દહો !
એનો સત્યનો સૂર્ય સદાય તપો
.                    અમ પાપ-નિરાશાના મેલ દહો !
એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
.                    અમ ભારતનાં સહુ ક્લેશ વહો !
એણે જીવતાં રામ સદાય રટ્યા,
.                    એ તો ‘રામ’ વદીને વિદાય થયા;
લઘુ માનવમાં મહિમા ભરવા
.                    નિજ લોહી અશેષ વહાવી ગયા.

– જુગતરામ દવે

વરસમાં બે વાર બાપુને યાદ કરવાનો ‘ભારતીય’ રિવાજ અમે પણ બરકરાર રાખીએ છીએ.

Comments (3)