મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મીના કુમારી

મીના કુમારી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




बझम-ए-उर्दू : 08 : आग़ाज़ तो होता है अंजाम नहीं होता – मीना कुमारी

आग़ाज़ तो होता है अंजाम नहीं होता
जब मेरी कहानी में वो नाम नहीं होता

जब ज़ुल्फ़ की कालक में घुल जाए कोई राही
बदनाम सही लेकिन गुमनाम नहीं होता

हँस हँस के जवाँ दिल के हम क्यूँ न चुनें टुकड़े
हर शख़्स की क़िस्मत में इनआम नहीं होता

दिल तोड़ दिया उस ने ये कह के निगाहों से
पत्थर से जो टकराए वो जाम नहीं होता

दिन डूबे है या डूबी बारात लिए कश्ती
साहिल पे मगर कोई कोहराम नहीं होता

– मीना कुमारी

आग़ाज़ – શરૂઆત; अंजाम – અંત; कालक – ઘટા; कोहराम – કલ્પાંત

મીનાકુમારીનાં અવાજમાં એમની આ ગઝલ માણો:

૧૯૩૨માં જન્મેલા અભિનેત્રી મીનાકુમારી (જેમનું ખરું નામ મહજબી હતું)ના ચહેરાની ભીતર એક કવયિત્રીનો ચહેરો પણ હતો એ વાત બહુ ઓછા લોકો જાણતા હતા. પોતાની જાત નિચોવીને રંગમંચના રૂપેરી પડદાને સોનેરી બનાવનાર ‘ટ્રેજેડી ક્વીન’ મીનાકુમારીનું અંગત જીવન પણ એક ટ્રેજેડી જ હતું. એમનાં જ શબ્દોમાં કહીએ તો – “તુમ ક્યા કરોગે સુનકર મુજસે મેરી કહાની, બેલુત્ફ જિંદગી કે કિસ્સે હે ફિક્કે ફિક્કે.” ફિલ્મો માટે સર્વશ્રેઠ અભિનેત્રીના એવોર્ડ વારંવાર મેળવનાર મીનાકુમારીના હાસ્યને પિતા સહિત અનેકાનેક સ્વાર્થી પુરુષોના ચહેરાઓએ બાળપણથી જ છીનવી લીધેલું. નિર્દેશક કમલ અમરોહી સાથેના દસ વર્ષના નિષ્ફળ લગ્નજીવનની વેદના અને અન્ય અભિનેતા સાથેના સંબંધોની ચર્ચાના આઘાતને લીધે શરાબમાં ડૂબીને માત્ર ચાળીસ વર્ષની વયે શાશ્વત અતૃપ્ત પ્રેમની ઝંખના અને તરસને લઈને ૧૯૭૨માં મૃત્યુની ગોદમાં જતા રહ્યા.

તેઓ ‘નૂર’ નામે ઉર્દૂ-હિન્દી કવિતાઓ લખતા. મહજબીની કલમમાંથી અભિનેત્રી મીનાકુમારીના આંસુ ટપકતાં હતાં. એમણે પોતાની અંદર કવયિત્રી અને અભિનેત્રીનાં અસ્તિત્વની અભિન્નતા કાયમ જાળવી રાખેલ. એમની 250 અંગત કવિતાઓમાંથી થોડી નઝમો, ગઝલો અને શેરોને વણીને ફિલ્મ લેખક અને નિર્દેશક ગુલઝરે પ્રગટ કરેલો એમનો એકમાત્ર મરણોતર કાવ્યસંગ્રહ એટલે ‘મીનાકુમારીકી શાયરી’.  અહીં પ્રસ્તુત સીધી અને સરળ ગઝલને સમજાવવાની જરૂર જ ક્યાં છે! હા, આ ગઝલની જેમ જ એમની અન્ય ગઝલો પણ એમનાં હૃદયની વેદનાથી એવી ભરપૂર છે કે એ વેદનાને પ્રત્યેક વાચક-ભાવકનું હૃદય અચૂક અનુભવી શકે છે.

Comments (4)