લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બઝ્મ-એ-ઉર્દૂ

બઝ્મ-એ-ઉર્દૂ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




गरूरे-खुल्द…..- અનામી

गरूरे-खुल्द जाहिद तर्के-दुनिया के भरोसे पर
संभल ऐ बेखबर क्यों खानुमा बर्बाद होता है

[ શાયર કોણ છે તેની જાણકારી નથી ]

હે ધર્મઉપદેશક ! સંસાર ત્યાગવાની વાતથી તારો ઘમંડ જરૂર વધી જશે ! રે મૂઢ…..સંભલી જા હજુ ! શા માટે નાહક બરબાદી નોતરે છે !!!?? [ ભાવાનુવાદ ]

એક જ શેરમાં એટલી મહત્વની વાત છે કે એક પુસ્તક લખાય…. જે. કૃષ્ણમૂર્તિ સતત આ જ વાત કહેતા – ” તમે એક બંધનમાંથી બીજા બંધનમાં માત્ર શિફ્ટ થાવ છો -સત્યની ઢૂંકડા તો લગીરે નથી જતા , તો આ સંસાર ત્યાગ એ અહંના પોષણ સિવાય બીજા શું કામનો છે ? ”

આત્મશોધ એ કોઈ એટલી આસાન વાત નથી કે સંસાર ત્યાગવાથી તે ચરિતાર્થ થાય ! આદિ શંકરાચાર્યએ કહ્યું હતું કે કરોડોમાંથી એકાદને બ્રહ્મજિજ્ઞાસા હોય,અને એવા કરોડો જિજ્ઞાસુમાંથી એકાદ મઁઝીલ પામે…..સંસાર ત્યાગવા જેવી ક્ષુલ્લક વાતથી શું વળે ? બંધનોથી ભાગવાનું નથી, બંધનોના સાચા સ્વરૂપને સમજીને તેઓને અર્થહીન કરી દેવાના છે…..

Comments

मैं ख़याल हूँ – सलीम कौसर : बझम-ए-उर्दू

मैं ख़याल हूँ किसी और का मुझे सोचता कोई और है
सर-ए-आईना मेरा अक्स है पस-ए-आइना कोई और है

ખ્યાલ [વિચાર] હું કોઈકનો છું અને વિચારે મને બીજું જ કોઈ છે. આયનામાં દેખાય છે તે મારું પ્રતિબિંબ છે, આયનાની પાછળ કોઈ બીજું જ છે. [ વાચ્યાર્થ સરળ છે પણ થોડીવાર મમળાવતા ચમત્કૃતિ આંજી નાખે છે ! ]

मैं किसी के दस्त-ए-तलब में हूँ तो किसी के हर्फ़-ए-दुआ में हूँ
मैं नसीब हूँ किसी और का मुझे माँगता कोई और है

હું કોઈકના દુઆ માટે[ભિક્ષા માટે] ફેલાયેલા હાથમાં છું તો કોઈકની દુઆના શબ્દોમાં છું. હું કોઈ અન્યનું જ નસીબ છું અને મારી ખેવના કોઈ અન્ય જ કરે છે.

कभी लौट आयें तो न पूछना सिर्फ़ देखना बड़े ग़ौर से
जिन्हें रास्ते में ख़बर हुई कि ये रास्ता कोई और है

અત્યંત નાજુક વાત કહી છે – જયારે કોઈ ભૂલ્યો-ભટક્યો અધવચ્ચેથી પરત ફરે તો ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરજો પણ એને કશું પણ પૂછતાં નહીં. તેના ઘા પર મીઠું ન ભભરાવશો….કરુણાપૂર્વક વર્તજો અને શીખજો… કદી તમારી પણ એ હાલત હોઈ શકે…..એની body language બધું જ કહી દેશે તમને.

अजब ऐतबार ओ बे-ऐतबारी के दर्मियाँ है ज़िन्दगी
मैं क़रीब हूँ किसी और के मुझे जानता कोई और है

વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચેની અત્યંત પાતળી ભેદરેખા ઉપર ચાલે છે જિંદગી….હું કોઈકની અત્યંત નજીક છું અને મને સમજે કોઈ અન્ય છે.

वही मुन्सिफ़ों की रिवायतें वही फ़ैसलों की की इबारतें
मेरा जुर्म तो कोई और था पर मेरी सज़ा कोई और है

કાજીની એ જ પરંપરાગત વાતો અને એ જ ચુકાદાઓના કાળા અક્ષરો…. મારો ગુનો કોઈ અલગ જ હતો અને મારી સજા કૈંક નોખી જ છે !

तेरी रोशनी मेरे ख़द्दो-ख़ाल से मुख़्तलिफ़ तो नहीं मगर
तू क़रीब आ तुझे देख लूँ तू वही है या कोई और है

તારી રોશનીની કોઈ ના નહીં – પરંતુ અંતે તો એ પણ ચર્મદેહ જ છે કે જેવો મારો છે, છતાં…..જરા નજદીક આવ તને નિહાળું….તું એ જ છે કે કોઈ અન્ય છે ! [ વાસ્તવવાદી વાત છે ]

तुझे दुश्मनों की ख़बर न थी मुझे दोस्तों का पता नहीं
तेरी दास्ताँ कोई और थी मेरा वाक़याँ कोई और है

તને દુશ્મનોની કશી ખબર જ નહોતી અને મને દોસ્તો વિષે જાણ નહોતી. તારી કથા કૈક અલગ જ હતી અને મારો પ્રસંગ કૈક અલગ જ છે…..[ અહીં ખૂબીપૂર્વક ઈંગિત કરાયું છે કે તું તો હતી જ અજાતશત્રુ અને હું શત્રુઓને પિછાણી ન શક્યો. આપણા આ નિજી સ્વભાવોએ આપણી મંઝીલ કંડારી.

जो मेरी रियाज़त-ए-नीमशब को “सलीम” सुबह न मिल सकी
तो फिर इस के माने तो ये हुए के यहाँ ख़ुदा कोई और है

મારા મધ્યરાત્રિ સુધીના અથાક પરિશ્રમને જો પ્રભાતનું મ્હો જોવા ન મળે તો એનો અર્થ એ થાય કે અહી કોઈ અલગ જ ખુદાની ખુદાઈ ચાલે છે.

-सलीम कौसर

આ ગઝલ અનેક ગાયકોએ ગાઈ છે…..શ્રેષ્ઠ કૃતિ મહેંદી હસનસાહેબની છે જે તેઓએ માંડીને ગાઈ છે. પ્રમાણમાં સરળ લાગતી આ ગઝલ વારંવાર વાંચતા તેનું ખરું ઊંડાણ સમજાય છે…..

Comments (6)

बझम-ए-उर्दू : 10 : गुलों में रंग भरे – फ़ैज़ अहमद फ़ैज़

“લયસ્તરો”ની દસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આજે આ દસમી અને આખરી ઉર્દૂ ગઝલ…

*

गुलों में रंग भरे, बाद-ए-नौबहार चले
चले भी आओ कि गुलशन का कारोबार चले

ફૂલોમાં રંગ આવે, નવી વસંતનો પવન પ્રસરે, ચાલ્યા પણ આવો કે આ બાગનો કારોબાર ચાલે..[જીવનના બાગમાં નવી વસંત તો તારા આગમનથી જ સંભવ છે]

क़फ़स उदास है यारो, सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

દોસ્તો, કેદખાનું ઉદાસ છે, હવાને કંઈક તો કહો; ખુદાને ખાતર ક્યાંક તો આજે યારનો ઉલ્લેખ થાય… [કાયાના કેદખાનામાં શ્વાસનો પવન પણ જો પ્રિયતમાની વાત લઈને આવે તો ઉલ્લાસ થાય]

कभी तो सुब्ह तेरे कुंज-ए-लब से हो आग़ाज़
कभी तो शब सर-ए-काकुल से मुश्क-ए-बार चले

ક્યારેક તો સવારની શરૂઆત તારા હોઠના કુંજાથી થાય, ક્યારેક તો રાત વાંકડિયા ઝુલ્ફની ખુશબોથી તર થઈ રહે… [સંભોગશૃંગારરસથી ભર્યોભાદર્યો શેર]

बड़ा है दर्द का रिश्ता, ये दिल ग़रीब सही
तुम्हारे नाम पे आयेंगे ग़मगुसार चले

દર્દનો સંબંધ મોટો છે, ભલે આ દિલ ગરીબ કેમ ન હોય, તારા નામ પર દુઃખભંજકો આવી રહેશે… [જેમ અંધારું અલગ અલગ વસ્તુઓના અસ્તિત્વને ઓગાળીને એક કરી દે છે એમ જ દુઃખ-દર્દ માણસોને એકમેક સાથે જોડી દે છે.]

जो हम पे गुज़री सो गुज़री मगर शब-ए-हिज्राँ
हमारे अश्क तेरी आक़बत सँवार चले

હે વિરહ રાત્રિ ! અમારા પર જે વીત્યું એ વીત્યું પણ અમારા આંસુ તારું ભવિષ્ય સજાવી ગયા. [પ્રેમીની બરબાદી જ વિરહની રાત્રિનો સાચો શૃંગાર છે.]

हुज़ूर-ए-यार हुई दफ़्तर-ए-जुनूँ की तलब
गिरह में लेके गरेबाँ का तार तार चले

પ્રિયતમાની હાજરીમાં બેસુમાર ઝનૂનની તલપ થઈ પણ ખિસ્સામાં કોલરના તાર-તાર લઈને ચાલ્યા [પ્રિયજનની ઉપસ્થિતિમાં પ્રેમના ઉન્માદની ને પ્રેમીની પ્રતિષ્ઠા (કોલર) બિચારાની શી કિંમત?!]

मक़ाम ‘फैज़’ कोई राह में जचा ही नहीं
जो कू-ए-यार से निकले तो सू-ए-दार चले

રસ્તામાં બીજો કોઈ વિસામો પસંદ જ ન આવ્યો. જો યારની ગલીમાંથી નીકળ્યા તો સીધા ફાંસીના માંચડા પર ચાલ્યા [દિલરૂબાની ગલી છોડવાનો બીજો મતલબ શો? મૃત્યુ જ સ્તો.]

– फ़ैज़ अहमद फ़ैज़

Comments (7)

बझम-ए-उर्दू : 09 : आदमी आदमी से मिलता है – ज़िगर मुरादाबादी

आदमी आदमी से मिलता है
दिल मगर कम किसी से मिलता है
[સીધી ને સટાક વાત. આપણે એકમેકને મળીએ તો છીએ પણ શું સાચા અર્થમાં?]

भूल जाता हूँ मैं सितम उस के
वो कुछ इस सादगी से मिलता है
[ફરી એકવાર res ipsa loquitar (સ્વયંસ્પષ્ટ) શેર.]

आज क्या बात है के फूलों का
रंग तेरी हँसी से मिलता है
[સૌંદર્યશૃંગારની પરાકાષ્ઠા.]

सिलसिला फ़ित्ना-ए-क़यामत का
तेरी ख़ुश-क़ामती से मिलता है
કયામતની મુસીબતનો સિલસિલો તારી સુડોળ કાયાને જઈ મળે છે [તારા સુંદર શરીરની સુડોળતા પોતે જ કંઈ કયામતથી કમ છે?!]

मिल के भी जो कभी नहीं मिलता
टूट कर दिल उसी से मिलता है
મળીને પણ જે કદી મળતો નથી, આ દિલ તૂટીને પણ એને જ જઈ મળે છે. [જિગર મુરાદાબાદી સરળ શેરોની હરીફાઈ માંડી બેઠા છે કે શું? પ્રથમ દૃષ્ટિએ સરળ ભાસતા આવા શેરને सहल-ए-मुम्तना અર્થાત ‘આભાસી સરળતા’ કહે છે.]

कार-ओ-बार-ए-जहाँ सँवरते हैं
होश जब बेख़ुदी से मिलता है
દુનિયાનો કારોબાર વધુ સારી રીતે ચાલશે જો હોંશ બેહોશીમાં ભળી જશે. [દુનિયાની સહુથી મોટી સમસ્યા એ માનવીનું કહેવાતું ડહાપણ જ છે. “નશામાં હોય છે સુખ દુખ જીવનના એક કક્ષા પર, શરાબીને જ આવે છે મજા સૂવાની રસ્તા પર” (મરીઝ). ગાલિબ પણ યાદ આવે: अच्छा है दिल के पास रहे पास्बान-ए-अक़्ल, लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।]

रुह को भी मज़ा मोहब्बत का,
दिल की हम-साएगी से मिलता है
આત્માને પણ મહોબ્બતની મજા પાડોશી દિલના કારણે જ આવે છે.[નિરંતર આરોહ-અવરોહવાળું દિલ પાસે છે એટલા માટે જ આપણને પ્રેમ કરવાની મજા આવે છે]

– जिगर मुरादाबादी

Comments (8)

बझम-ए-उर्दू : 08 : आग़ाज़ तो होता है अंजाम नहीं होता – मीना कुमारी

आग़ाज़ तो होता है अंजाम नहीं होता
जब मेरी कहानी में वो नाम नहीं होता

जब ज़ुल्फ़ की कालक में घुल जाए कोई राही
बदनाम सही लेकिन गुमनाम नहीं होता

हँस हँस के जवाँ दिल के हम क्यूँ न चुनें टुकड़े
हर शख़्स की क़िस्मत में इनआम नहीं होता

दिल तोड़ दिया उस ने ये कह के निगाहों से
पत्थर से जो टकराए वो जाम नहीं होता

दिन डूबे है या डूबी बारात लिए कश्ती
साहिल पे मगर कोई कोहराम नहीं होता

– मीना कुमारी

आग़ाज़ – શરૂઆત; अंजाम – અંત; कालक – ઘટા; कोहराम – કલ્પાંત

મીનાકુમારીનાં અવાજમાં એમની આ ગઝલ માણો:

૧૯૩૨માં જન્મેલા અભિનેત્રી મીનાકુમારી (જેમનું ખરું નામ મહજબી હતું)ના ચહેરાની ભીતર એક કવયિત્રીનો ચહેરો પણ હતો એ વાત બહુ ઓછા લોકો જાણતા હતા. પોતાની જાત નિચોવીને રંગમંચના રૂપેરી પડદાને સોનેરી બનાવનાર ‘ટ્રેજેડી ક્વીન’ મીનાકુમારીનું અંગત જીવન પણ એક ટ્રેજેડી જ હતું. એમનાં જ શબ્દોમાં કહીએ તો – “તુમ ક્યા કરોગે સુનકર મુજસે મેરી કહાની, બેલુત્ફ જિંદગી કે કિસ્સે હે ફિક્કે ફિક્કે.” ફિલ્મો માટે સર્વશ્રેઠ અભિનેત્રીના એવોર્ડ વારંવાર મેળવનાર મીનાકુમારીના હાસ્યને પિતા સહિત અનેકાનેક સ્વાર્થી પુરુષોના ચહેરાઓએ બાળપણથી જ છીનવી લીધેલું. નિર્દેશક કમલ અમરોહી સાથેના દસ વર્ષના નિષ્ફળ લગ્નજીવનની વેદના અને અન્ય અભિનેતા સાથેના સંબંધોની ચર્ચાના આઘાતને લીધે શરાબમાં ડૂબીને માત્ર ચાળીસ વર્ષની વયે શાશ્વત અતૃપ્ત પ્રેમની ઝંખના અને તરસને લઈને ૧૯૭૨માં મૃત્યુની ગોદમાં જતા રહ્યા.

તેઓ ‘નૂર’ નામે ઉર્દૂ-હિન્દી કવિતાઓ લખતા. મહજબીની કલમમાંથી અભિનેત્રી મીનાકુમારીના આંસુ ટપકતાં હતાં. એમણે પોતાની અંદર કવયિત્રી અને અભિનેત્રીનાં અસ્તિત્વની અભિન્નતા કાયમ જાળવી રાખેલ. એમની 250 અંગત કવિતાઓમાંથી થોડી નઝમો, ગઝલો અને શેરોને વણીને ફિલ્મ લેખક અને નિર્દેશક ગુલઝરે પ્રગટ કરેલો એમનો એકમાત્ર મરણોતર કાવ્યસંગ્રહ એટલે ‘મીનાકુમારીકી શાયરી’.  અહીં પ્રસ્તુત સીધી અને સરળ ગઝલને સમજાવવાની જરૂર જ ક્યાં છે! હા, આ ગઝલની જેમ જ એમની અન્ય ગઝલો પણ એમનાં હૃદયની વેદનાથી એવી ભરપૂર છે કે એ વેદનાને પ્રત્યેક વાચક-ભાવકનું હૃદય અચૂક અનુભવી શકે છે.

Comments (4)

बझम-ए-उर्दू : 07 : कू-ब-कू फैल गई बात शनासाई की – परवीन शाकिर

कू-ब-कू फैल गई बात शनासाई की
उस ने ख़ुशबू की तरह मेरी पज़ीराई की

कैसे कह दूँ कि मुझे छोड़ दिया है उस ने
बात तो सच है मगर बात है रुस्वाई की

वो कहीं भी गया लौटा तो मिरे पास आया
बस यही बात है अच्छी मिरे हरजाई की

उस ने जलती हुई पेशानी पे जब हाथ रखा
रूह तक आ गई तासीर मसीहाई की

तेरा पहलू तेरे दिल की तरह आबाद रहे
तुझ पे गुज़रे न क़यामत शब-ए-तन्हाई की

अब भी बरसात की रातों में बदन टूटता है
जाग उठती हैं अजब ख़्वाहिशें अंगड़ाई की

– परवीन शाकिर

(कू-ब-कू – ચોતરફ; शनासाई – ઓળખાણ, મુલાકાત; पज़ीराई – સ્વીકાર; रुस्वाई – બદનામી;शब-ए-तन्हाई – ઘોર એકલતા; पेशानी – કપાળ, the forehead, तासीर – અસર, ખાસિયત; मसीहाई – સંજીવની શક્તિ; पहलू = પડખું; शब-ए-तन्हाई = એકલતાની રાત)

Parveen Shakir’s recitation:

Raj Kumar Rizvi

MEHDI HASSAN

મુલાકાતથી શરૂ થઈને વિરહ તરફ લઈ જતી આ ગઝલ વાચકને પણ ઘોર એકલતાનો ‘સ્પર્શ’ કરાવી જાય છે. પ્રિયજનનું ફરીફરીને ફરી પોતાની પાસે જ આવવાનાં હરખનું ખોખલું આશ્વાસન.. તો પોતે ત્યજાવાનું દર્દ સહન કરીને પણ એ માટે પ્રિયજનને બદનામ ન કરવાની જીદ… પોતાને મળેલી ઘોર એકલતા એને ન મળે એવી પ્રાર્થના…. છતાં અધૂરી ઈચ્છાઓની અંગડાઈ. પરવિનની ઘણી વૈવિધ્ય અને વિશિષ્ટતાથી ભરપૂર ગઝલોમાંની એક ગઝલ.

પાકિસ્તાનની બહુ મોટા ગજાની કવયિત્રી એટલે પરવીન શાકીર (1952-1994). શબ્દથી અતિ મુલાયમ પણ મિજાજથી અતિ મજબૂત પરવીન શાકિરે માત્ર ૨૪ વરસની ઉંમરે ગઝલપ્રેમીઓને એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ખુશબૂ’ આપ્યો હતો. ત્યારબાદ ‘સદબર્ગ’, ‘ખુદ ગુલામી’, ‘માહ-એ-તમામ’ જેવા અન્ય સંગ્રહો પણ આપ્યા હતા. સર્જંનક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શાકિર પોતાના રૂઢિચુસ્ત વાતાવરણથી સાવ અળગા અને ઘણા આગળ હતા. એમણે અંગ્રેજી સાથે એમ.એ., પીએચ.ડી. કર્યા બાદ નવ વર્ષ અધ્યાપન કરીને પછી કસ્ટમ વિભાગમાં જોડાયેલા. પરવિને ગઝલ-નઝમને અપનાવીને સ્ત્રી-સર્જક તરીકે પોતાના યુગનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પરવીન શાકીર પાકિસ્તાન સરકારનાં સિવિલ સર્વન્ટ હતાં, જેનું ઇસ્લામાબાદ જતાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે અસત્યના ફરિસ્તાઓએ પરવીનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. કદાચ એટલે જ એમણે એવું લખ્યું હશે કે ‘હું સત્ય બોલીશ છતાંય હું હારી જઈશ એ ખોટું બોલશે તો પણ અસત્યને લાજવાબ કરી દેશે.’

પરવીન કવિતા લખતી ન્હોતી, કવિતા જીવતી હતી. પરવીન એવી કેટલાક સ્ત્રીસર્જકોમાંની એક છે કે જેમણે શબ્દને સાધન બનાવીને પોતાના અસ્તિત્વનો અધિકાર માંગ્યો છે. લાગણી વ્યક્ત કરવી એ સ્ત્રી માત્ર માટે સહજ બાબત છે જે એમના સર્જનમાં પણ ખૂબ જ સ્વાભાવિકતાથી ભારોભાર રેલાય છે. આ લાગણી એટલે ફક્ત પ્રેમ કે પીડા નહીં, પરંતુ ક્રોધ, નિરાશા, વિરહ, વિદ્રોહ કે વિક્ષિપ્ત મનોદશા. સ્વાભાવિકપણે જ સ્ત્રીસંવેદના એ એમની કવિતાનું કેન્દ્રબિંદુ રહ્યું છે. આ કહેવાતી વિદ્રોહી કવયિત્રી ધર્મની સંકુચિત માન્યતામાંથી પોતાને અળગી રાખીને ગોપીભાવે લખે છે- “યે હવા કૈસે ઉડા લે ગઈ આંચલ મેરા, યું સતાને કી આદત તો મેરે ઘનશ્યામ કી થી.”

Comments (3)

बझम-ए-उर्दू : 06 : मिर्ज़ा ग़ालिब

सब कहाँ, कुछ लाल:ओ-गुल मे नुमायाँ हों गयीं
खाक में क्या सूरतें होंगी, कि पिन्हाँ हो गयीं।

માત્ર મુઠ્ઠીભર સુંદરતા પુષ્પો-ગુલાબના સ્વરૂપે માટીની બહાર ડોકિયું કરીને વસુંધરામાં સમાવિષ્ટ અદભૂત સુંદરતાની એક માત્ર આછેરી ઝાંખી આપે છે. આ ઝાંખી જ જો આટલી અદભૂત છે તો માટીમાં કેટકેટલી સુંદરતા ધરબાયેલી પડી હશે !!

याद थी, हम को भी, रंगारंग बज़्म-आराइयाँ,
लेकिन अब नक्शो-निगारे-ताके-निसियाँ हो गयीं।

કોઈ એ પણ સમય હતો કે જયારે અમને પણ રંગીન મેહફિલો અને સુંદરીઓના સહવાસની આદત હતી, પરંતુ હવે એ બધી શોભા કરોળિયાના જાળાનું સ્વરૂપ લઇ ચૂકી છે [ આ ભાવાર્થ છે,શબ્દાર્થ નથી]

थीं बनातुलनांश-ए-गरदूँ, दिन को परदे में निहाँ
शब को उनके जी में क्या, आयी , कि उरियाँ हों गयीं।

સાત સહેલીઓ [ સપ્તર્ષિ ] ની લુચ્ચાઈ તો જુઓ ! આખો દિવસ પરદા પાછળ છૂપી રહે છે અને રાત્રે નગ્ન થઈ જાય છે ! [ અહી ઈશારો જાહેરમાં-દિવસના અજવાળે- અલગ અને રાત્રિના અંધકારમાં અલગ જીવન જીવનાર વ્યક્તિઓ તરફ છે]

कैद मे याकूब ने ली, गो, न यूसुफ़ की खबर,
लेकिन आँखे रौजन-ए-दीवार-ए-ज़िन्दाँ हो गयीं।

યાકૂબ પોતાના પુત્ર યુસુફને એ રીતે ચાહતા જે રીતે દશરથ રામને. પુત્રવિરહમાં તેઓ અંધ થઇ ગયા હતા. આ સંદર્ભમાં આ શેર છે – અંતર અને દુર્બળતાવશ યાકૂબ પોતાના પ્રાણપ્યારા પુત્રને જોવા કેદ્ખાનાની કાળકોઠરી સુધી ન પહોચી શક્યા, પરંતુ રડતા રડતા અંધ બનેલા નેત્રો એ કાળકોઠરીના ઝરોખા બનીને અપ્રત્યક્ષરૂપે યુસુફને નિહાળતા રહ્યાં .

सब रक़ीबों से हों नाखुश, पर ज़नान-ए-मिस्र से,
है ज़ुलैख़ा खुश, कि मह्व-ए-माह-ए-कनआँ हो गयीं।

મિસ્રની એક વસાહતનું નામ તે કનઆ. ત્યાં યુસુફ રહેતો . તે એટલો સુંદર હતો કે સમગ્ર મિસ્રની યુવતીઓ એના પર મુગ્ધ હતી. મિસ્રની રાજકુમારી ઝુલેખા પણ ! આ સંદર્ભમાં ગાલિબ ફરમાવે છે – સામાન્ય રીતે સ્ત્રીઓ સોતનથી પરેશાન ,પરંતુ કનઆ ના ચંદ્ર [યુસુફ]ની ચકોરીઓથી ઝુલેખા જરાય નારાજ નથી,બલકે પ્રસન્ન છે. [ અહીં શુદ્ધ પ્રેમ અને શુદ્ધ સૌન્દર્યની અદભૂતતાની વાત કહેવાઈ છે ]

जू-ए-खूं आँखों से बहने दो, कि है शामे-फ़िराक,
मैं यह समज़ूंगा, कि शमएँ दो फ़रोज़ाँ हो गयीं।

વિયોગની સંધ્યા સુદ્ધાં એટલી કાળીડિબાંગ છે તો રાત કેવી હશે ! આથી આ આંખોમાંથી લોહીરૂપી કિરણોને વછૂટવા દો…..હું એમ સમજીશ કે બે મીણબત્તીઓ પ્રગટી ઉઠી છે….. [ શું અંદાઝે બયાં છે ! ]

इन परिजादों से लेंगे खुल्द में हम इन्तक़ाम,
कुदरत-ए-हक- से, यही हूरें अगर वाँ हों गयीं।

અહીં વક્રોક્તિ જુઓ – આ લોકની સુંદરીઓ જો પોતાના કર્મબળે સ્વર્ગની પરીઓ બની તો અમે ત્યાં-સ્વર્ગમાં- એ લોકો સાથે બધી કસર પૂરી કરીશું….ખૂબ બદલો લઈશું [ અમારું સ્વર્ગમાં જવું તો નક્કી જ છે…આ સાલ્લીઓ જે અમને અહીં ભાવ નથી આપતી તેઓની ત્યાં વાત છે !!!!! ]

नींद उसकी है, दिमाग उसका है, रातें उसकी है,
तेरी ज़ुल्फ़ें, जिसकी बाज़ू पर परीशाँ हो गयीं।

સૌન્દર્યરસ નો શેર છે આ…. परीशाँ = વિખેરાઈ જવી

मैं चमनमें क्या गया,गोया दबिस्ताँ खुल गया,
बुलबुलें सुनकर मेरे नाले, ग़ज़ल-ख्वाँ हो गयीं।

મેં બગીચામાં પગ શું મૂક્યો કે જાણે ત્યાં પાઠશાળા ખૂલી ગઈ !!! મારા આર્તનાદ સાંભળીને બધી બુલબુલો ગઝલગાયિકા બની ગઈ !!! [ અતિશયોક્તિ અલંકાર ]

वह निगाहें क्यों हुई जाती है,या रब ! दिल के पार,
जो मेरी कोताहि-ए-किस्मत से मिज़गाँ हो गयीं।

આ મારું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય !! જે નજરો મારી સામે લજ્જાથી નીચી થઇ ગઈ છે એમ હું માનું છું તેનો પ્રભાવ પણ સ્નેહભર્યાં તારામૈત્રકથી લગીરે કમ નથી !!!

बस कि रोका मैंने और सीने में उभरी पै-ब-पै !
मेरी आहें बखिय:-ए-चाके-गरेबाँ हो गयीं।

મારાં આર્તનાદોને મેં જેટલા છાતીમાં ધરબી દેવાની કોશિશ કરી તેટલા જ તે છાતી ઉપર વારંવાર ઉભરી આવ્યા ! જાણે કે મારા વીંધાઈ વીંધીને ચાળણી થઇ ગયેલી છાતી માટે તે સિલાઈના ટાંકા સમાન બની ગઈ !!

वाँ गया भी मैं, तो उनकी गालियों का क्या जवाब,
याद थी जितनी दुआऐं, सर्फ़-ए-दरबाँ हो गयीं।

પ્રિયાને મળવા ગયો દિલમાં દુઆઓ લઈને . ત્યાં દરવાનને બક્ષીસમાં જ એ બધી દુઆ આપી દેવી પડી….પછી અંદર પ્રવેશ મળ્યો . અંદર મારી બધી જ દુઆઓ ખલાસ થઇ ગઈ હતી અને મને ત્યાં જે ગાળ ઉપર ગાળ પડી છે કે વાત ન પૂછો ! [ વ્યંગાત્મક શૈલીના આ શેરમાં એક જુદા જ ગાલિબ દ્રષ્ટિગોચર થાય છે.]

जाँ-फिज़ा है बाद:, जिसके हाथ में जाम आ गया,
सब लकीरें हाथ की, गोया रगे-जाँ हो गयीं।

શરાબ એટલી અદભૂત ચીજ છે કે શરાબનો પ્યાલો જે હાથમાં પકડવામાં આવે છે તે હાથની લોહીની નસો હૃદયની મુખ્ય ધમની સમાન થઇ જાય છે. [ અહીં પણ રૂપકની બુલંદી જુઓ ! ]

हम मुव्वहिद हैं, हमारा केश है, तर्क-ए-रसूम
मिल्लतें जब मिट गई, अजज़ा-ए-ईमाँ हों गयीं।

હું એકેશ્વરવાદી છું. મારો ધર્મ છે વિવિધ પંથો-સમ્પ્રદાયોને સમાપ્ત કરવા. જેવા તે સમાપ્ત થશે તેવા જ તે સૌ સાચા ધર્મના અંશ બની જશે. [ એક મત અનુસાર આ શેર આ ગઝલનો નથી. ]

रंज से ख़ूगर हुआ इन्साँ तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ी, इतनी कि आसाँ हों गयीं।

શિરમોર – અદભૂત- જબરદસ્ત શેર !!! આ વાત આપણે સૌએ અનુભવી જ હશે – વ્યક્તિ દુઃખોથી અભ્યસ્ત થઇ જાય એટલા દુઃખ જયારે એના પર પડે ત્યારે દુઃખ એની ચોટ-ધાર-અસરકારકતા ગુમાવી બેસે છે. મારા પર એટલી બધી વિપદાઓ પડી કે હવે એ સૌ આસન થઇ ગઈ છે.

આ એક Psychological fact છે. આ વાત અન્ય સંદર્ભોમાં પણ સાચી હોય છે. અમે જયારે MBBS માં હતા ત્યારે exam ના બે-ચાર દિ પહેલા અચૂક આ શેર યાદ કરતા !!!!

यों ही गर रोता रहा ‘ग़ालिब’, तो ऐ अह्ल-ए-जहाँ !
देखना इन बस्तियों को तुम, कि वीराँ हों गयीं।

જો ગાલિબ આ જ રીતે રડતો રહ્યો અને આંસુઓનો ધોધ વહાવતો રહ્યો તો જોતા રહેજો…..આ ઘોડાપૂર બધું જ વેરાન કરી દેશે…..

– मिर्ज़ा ग़ालिब

આ ગઝલનો પ્રત્યેક શેર મોટાભાગના ગુજરાતી વાચકોને clean bowled કરવા માટે પૂરતો છે ! આ ગઝલ પસંદ કરવાનું કારણ એ કે આમાં ગાલિબની સર્જકતાના અનેક પાસાઓ સુપેરે ઉજાગર થાય છે. સંપૂર્ણ ગાલિબની આછેરી ઝાંખી મળી રહે છે.

Comments (5)

बझम-ए-उर्दू : 05 : मिर्ज़ा ग़ालिब

मेहरबां होके बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ के फिर आ भी न सकूँ।

મહેરબાન થઈને મને કોઇપણ વખતે બોલાવો…. હું કંઈ વીતી ગયેલો સમય નથી કે પાછો આવી ન શકું.

ज़ोफ़ में तान:-ए-अग़यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ ?

દારુણ દુર્દશામાં દુશ્મનના વ્યંગબાણોની શું ફરિયાદ કરવી !! હું કોઈક વાત ઉઠાવીશ અને દુશ્મનોના વ્યંગબાણોનો શિકાર બની જઈશ એ ડરે વાત જ ન ઉઠાવવી એ કેટલુંક યોગ્ય છે ? વાત એ કંઈ માથું તો નથી જ કે જે હું ઉઠાવી ન શકું !!

ज़हर मिलता ही नहीं मुझको सितमगर वर्न:
क्या क़सम है तेरे मिलने की कि खा भी न सकूँ।

ઝેર મળતું નથી મને ઓ નિર્દય ! …..નહિતર એ કઈ તારા મળવાના સોગંદ છે કે જે ખાઈ પણ ન શકું !!

– मिर्ज़ा ग़ालिब

મારે ભાવકોને બે ગાલિબનો પરિચય કરાવવો છે – ગાલિબ દુર્બોધ શાયર તરીકે પ્રખ્યાત છે…..ભાગ્યે જ એની કોઈ ગઝલ આખી સમજાય . ઉપરોક્ત ગઝલ પ્રમાણમાં ઘણી જ સરળ ગઝલ છે છતાં તેમાં રહેલી ચમત્કૃતિ – અંદાઝે બયાં ની બળકટતા જુઓ !! પહેલો શેર એ શેર છે જેણે મને ગાલિબના પ્રેમમાં પાડી દીધો હતો. ગાલિબની ખૂબી હતી તેની વક્રવાણી અને એક જ તીર થી અનેક નિશાન સાધવાની નિપુણતા. ગાલિબની કઠિનતાનું કારણ એ છે કે તેઓ ઘણીવાર સંસ્કૃત કરતાં પણ જડબાતોડ જોડણીઓ વાપરે છે અને તેઓના બયાનમાં અરબી અને ફારસીની પણ છાંટ હોય છે. તેઓ અરબી અને મુસ્લિમ દંતકથાઓમાંથી રૂપક વાપરે છે જેનાથી આપણે સ્વાભાવિક રીતે સાવ અનભિજ્ઞ જ હોઈએ. વળી તેમાં તેઓની પ્રખર બુદ્ધિપ્રતિભા ઉમેરાય ! દર્શનનું અગાધ ઊંડાણ ઉમેરાય ! મારા નમ્ર મતે ગાલિબનો IQ તમામ શાયરોમાં ઉચ્ચતમ હશે.

બીજી ગઝલ જે હું પ્રસ્તુત કરીશ તે તેઓના લાક્ષણિક અંદાઝની અત્યંત કઠિન ગઝલ હશે અને આપણે એની સુંદરતા અને ગહેરાઈ માણીશું.

Comments (3)

बझम-ए-उर्दू : 04 : अल्लामा इक़बाल

सख्तियाँ करता हूँ दिल पर, ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं , जाहिल हूँ मैं

મારા હૃદય પર હું કડક અંકુશ રાખું છું, અન્યો પરત્વે ક્ષમાશીલ [ ग़ाफ़िल નો એક અર્થ ] છું,
વાહ ! શું વાત કરી તમે ! હું જાલિમ ! અરે હું તો નાદાન છું……

मैं अभी तक था कि तेरी जलवा पैराई न थी
जो नमूदे हक़ से मिट जाता है वो बातिल हूँ मैं

જ્યાં સુધી મમત્વ-અહં હતો ત્યાં સુધી તારા દર્શન માત્ર થી ભવપાર થઇ જવાની કોઈ શક્યતા જ ન હતી
સત્યના પ્રાકટ્ય સાથે જે નષ્ટ થાય છે તે મિથ્યા અહં છું હું…..

इल्म के दरिया से निकले ग़ोताज़न गौहर बदस्त
वाए महरूमी ! ख़ज़फ चैने लबे साहिल हूँ मैं

જ્ઞાનના સાગરમાંથી મરજીવા હાથમાં મોતી લઇ નીકળ્યા,
હાય દુર્ભાગ્ય ! હું તો કિનારે પડેલું એક ઠીકરું છું….

है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफत की दलील
जिसकी ग़फ़लत को मुल्क रोते हैं वो ग़ाफ़िल हूँ मैं

મારી નામોશી એ જ મારી શરાફતની દલીલ છે
હું એ જ ગાફિલ છું જેની ગફલતને કારણે આખો મુલક રડે છે. [ ગાફિલ અને ગફલત શબ્દના એક થી વધુ અર્થ લઇ શકાય .]

बज़्मे हस्ती ! अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

હે અસ્તિત્વની મહેફિલ ! તારી જાહોજલાલી ઉપર તું ગર્વિત ન થા
તું તો મહેફિલની તસ્વીર માત્ર છે – હું મહેફિલ સ્વયં છું.

ढूँढता फिरता हूँ ऐ इक़बाल अपने आप को
आप ही गोया मुसाफ़िर, आप ही मंज़िल हूँ मैं

ઇકબાલ પોતાની જાતને શોધતો ફર્યા કરે છે
હું પોતે જ જેમ કે મુસાફર અને હું પોતે જ મંઝીલ છું.

– अल्लामा इक़बाल

અલ્લામા ઇકબાલ કદાચ ભારતના સૌથી વધુ અવગણના પામેલા શાયર છે – થોડુક એમની કઠિનતાને લીધે અને થોડુક એમની પાકિસ્તાનના સર્જન માટેની તરફદારી ને લીધે . ઇકબાલનું નામ પણ લેવું એ આઝાદીની આસપાસના દાયકાઓમાં politically incorrect ગણાતું . ‘ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ના રચયિતાને ભારતે પ્રયત્નપૂર્વક ભૂલાવી દીધા છે, પરંતુ ‘વોહ શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે…….’

ઇકબાલ એ એક માત્ર શાયર છે કે જેઓ દર્શનની એ ઊંડાઈ ધરાવે છે કે જેથી તેઓ ગાલિબ સામે ટક્કર લઇ શકે. જીતે કોણ તે તો ભાવકો જ નક્કી કરી શકે, પરંતુ મુકાબલો જબરદસ્ત થાય.

ઉપરોક્ત ગઝલમાં અનુવાદ કરવાનો કોઈ જ પ્રયાસ નથી-માત્ર સરળ ગુજરાતી સમજૂતી છે. પ્રત્યેક શેરની ગહેરાઈ જુઓ ! સરળ વાચ્યાર્થ આપ્યા બાદ ખાસ કોઈ ટિપ્પણની જરૂર રહેતી નથી. બીજો, પાંચમો અને છઠ્ઠો શેર આ શાયરને અમર બનાવવા પૂરતા છે.

પાંચમાં શેર ને જરાક માણીએ – અહીં તત્વજ્ઞાનની એક થીઅરી બે જ લીટીમાં કહેવાઈ છે – વિશ્વનું હોવું એ મારા હોવાને secondary છે….. ગાલિબને યાદ કરો – ‘ ન હોતા મૈ તો ક્યાં હોતા ?’

Comments (4)

बझम-ए-उर्दू : 03 : न किसी की आँख का नूर हूँ – बहादुर शाह ज़फ़र

IMG_0055

न किसी की आँख का नूर हूँ न किसी के दिल का क़रार हूँ
जो किसी के काम न आ सके मैं वो एक मुश्‍त-ए-गुब़ार हूँ

न तो मैं किसी का हबीब हूँ न तो मैं किसी का रक़ीब हूँ
जो बिगड़ गया वो नसीब हूँ जो उजड़ गया वो दयार हूँ

मेरा रंग रूप बिगड़ गया मेरा यार मुझ से बिछड़ गया
जो चमन ख़िज़ाँ से उजड़ गया मैं उसी की फ़स्ल-ए-बहार हूँ

पए फ़ातिहा कोई आए क्यूँ कोई चार फूल चढ़ाए क्यूँ
कोई आ के शम्मा जलाए क्यूँ मैं वो बे-कसी का मज़ार हूँ

मैं नहीं हूँ नग़मा-ए-जाँ-फज़ा मुझे सुन के कोई करेगा क्या
मैं बड़े बिरोग की हूँ सदा मैं बड़े दुखी की पुकार हूँ

– बहादुर शाह ज़फ़र

આ ગઝલ એ હ્રદયમાંથી નીકળેલી તીણી ચીસ સમાન છે. છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના ભાગે મુગલ સલ્તનતનો અસ્ત જોવાનું આવેલું. એની મનોસ્થિતિને ગઝલ બરાબર બંધ બેસે છે. જો કે આ ગઝલ મુજ્તર ખૈરાબાદીએ લખેલી હોવાનું પણ કહેવાય છે. હકીકત જે હોય તે, પણ આ ગઝલ ઉમદા કારીગરીનો નમૂનો છે એમા કોઇ બે મત નથી.

मुश्त-ए-ग़ुबार = મુઠ્ઠીભર ધૂળ, हबीब = સાથીદાર, दयार = બગીચો, फ़स्ल-ए-बहार = વસ્ંત ઋતુ, पए-फ़ातेहा = કબર પર મૃતકના આત્માની શાંતિ માટે કરાતી પ્રાર્થના, नग़मा-ए-जाँ-फज़ा = આનંદદાયક ગીત, बिरोग = વિયોગ, सदा = ચીસ.

આ ગઝલની કલીપ ‘લાલ કિલા’ ફિલ્મમાંથી. સ્વરઃ મોહમદ રફી.

Comments (8)

बझम-ए-उर्दू : 02: अब के हम बिछड़े तो – अहमद फ़राज़

IMG_9539

अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिलें
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें

ढूँढ उजड़े हुए लोगों में वफ़ा के मोती
ये ख़ज़ाने तुझे मुम्किन है ख़राबों में मिलें

तू ख़ुदा है न मेरा इश्क़ फ़रिश्तों जैसा
दोनों इंसाँ हैं तो क्यों इतने हिजाबों में मिलें

ग़म-ए-दुनिया भी ग़म-ए-यार में शामिल कर लो
नश्शा बढ़ता है शराबें जो शराबों में मिलें

आज हम दार पे खेंचे गये जिन बातों पर
क्या अजब कल वो ज़माने को निसाबों में मिलें

अब न वो मैं हूँ न तू है न वो माज़ी है “फ़राज़”
जैसे दो शख़्स तमन्ना के सराबों में मिलें

– अहमद फ़राज़

આજનો અવસર ખાસ છે તો આસ્વાદ પણ ખાસ રીતે. આજે વાંચવાને બદલે સાંભળો આસ્વાદ!

મેંહદી હસનના અવાજમાં ગઝલઃ

આ પણ એમનો જ અવાજ છે પણ આ છે ફિલ્મી વર્ઝનઃ

ख़राबों = શરાબખાનુ, हिजाबों = પડદાઓ, ग़म-ए-दुनिया = દુનિયાદારીનુ દુઃખ, ग़म-ए-यार = પ્રેમનું દુઃખ, दार = (ફાંસીએ ચડાવવાની) શૂળી, निसाबों = પાઠ્યક્રમ, સિલેબસ, माज़ी = ભૂતકાળ, सराबों = ઝાંઝવા.

Comments (9)

बझम-ए-उर्दू : 01: मीर तक़ी ‘मीर’

કવિમિત્રો અને વાચકમિત્રોના સ્નેહની આંગળી પકડીને “લયસ્તરો” હવે અગિયારમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આજથી ફોર-એ-ચેઇન્જ ઉર્દૂ ગઝલોનો જાયકો માણીએ:

*


​(ગાયક: ફરીદા ખાનમ)

*

हस्ती अपनी हबाब की-सी है
ये नुमाइश सराब की-सी है

नाज़ुकी उस के लब की क्या कहिये
पंखड़ी इक गुलाब की-सी है

चश्म-ए-दिल खोल उस भी आलम पर
याँ की औक़ात ख़्वाब की-सी है

बार बार उस के दर पे जाता हूँ
हालत अब इज़्तिराब की-सी है

नुक़्ता-ए-ख़ाल से तिरा अबरू
बैत इक इंतिख़ाब की-सी है

मैं जो बोला कहा कि ये आवाज़
उसी ख़ाना-ख़राब की-सी है

आतिश-ए-ग़म में दिल भुना शायद
देर से बू कबाब की-सी है

देखिए अब्र की तरह अब के
मेरी चश्म-ए-पुर-आब की-सी है

‘मीर’ उन नीम-बाज़ आँखों में
सारी मस्ती शराब की सी है

– मीर तक़ी ‘मीर’
(1722-1810)

(हबाब = बुलबुला; नुमाइश = दिखावा; सराब = मरीचिका; लब = होंठ; चश्म = आँख, आलम = संसार; इज़्तिराब = बेचैनी; नुक़्ता-ए-ख़ाल = त्वचा उपर का चिह्न, सौंदर्यनिशानी; अबरू = भ्रमर, भवाँ; बैत = शेर, घर; इंतिख़ाब = पसंदगी; ख़ाना-ख़राब = बरबाद; आतिश = अग्नि; अब्र = बादल; चश्म-ए-पुर-आब = अश्रु-भीनी आँख; नीम-बाज़ = अधखुली)

અલગ અલગ શેરમાં કવિ જિંદગીના અલગ અલગ ફોટોગ્રાફ ખેંચી આપે છે. પરપોટા જેવી આપણી આ ક્ષણભંગુર હસ્તીનો દેખાડો મૃગજળથી વિશેષ શું છે? પ્રિયતમાના હોઠની નજાકતનો આ મેટાફર આજે તો ચવાઈ ગયેલો લાગે પણ ઉર્દૂ-રોમેન્ટિક યુગના પહેલા શાયર ગણાતા મીરનો આ શેર સૌંદર્યદર્શનનો સર્વકાલિન શ્રેષ્ઠ શેર ગણાય છે.
મીર કઈ કક્ષાના ગઝલકાર હતા એ તો બે મહાન ગઝલકારોએ આપેલી આ અંજલિ પરથી જ જાણી શકાશે:

रेख्ते के तुम ही उस्ताद नहीं हो ‘गालिब’,
कहते हैं अगले जमाने में कोई मीर भी था । (गालिब)

न हुआ पर न हुआ ‘मीर’ का अन्दाज़ नसीब,
‘ज़ौक़’ यारों ने बहुत ज़ोर ग़ज़ल में मारा । (ज़ौक़)

Comments (10)